IFFCO: રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઇફ્કો (IFFCO) એ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો હતો.
NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો
મળતી માહિતી મુજબ પ્રતિ 50 કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવ 1,720 રૂપિયા થયા હતા. આ નવો ભાવ વધારો ત્રણ જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો. રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતો (Farmers) ના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.
7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ
રાજ્યના ખેડુત અગ્રણીએ કહ્યું હતું કે ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખેડૂત નેતા જયેશ પટેલે કહ્યું હતું કે ખાતર પરનો ભાવ વધારો પોસાય તેમ નથી. ખાતરના ભાવ વધારાથી ખેડૂતોને મોટો ઝટકો લાગશે.
ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે
ભાજપ સરકારમાં ખેડૂતને વધુ એક ઝટકો પડ્યો છે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો હતો. ભાવ વધારાનું કારણ સરકારે જાહેર કરવું જોઇએ. દર વર્ષે બિયારણ અને ખાતરના ભાવ વધે છે. રાજ્યમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સરકારનો ખેડૂત પ્રત્યેનું વર્તન યોગ્ય નથી.