મનરેગા કૌભાંડ મામલે નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાએ Hira Jotva પર આક્ષેપો કર્યા છે. Chaitar Vasava એ કહ્યું કે મંત્રી Bachu Khabad ની સાથે મળીને હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે. બચુ ખાબડના પુત્રોની સાથે હીરા જોટવાની પણ તપાસ થવી જોઈએ.
હવે આ મામલે હીરા જોટવાએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, “હું હીરાભાઈ જોટવા જાહેરમાં ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે. એવા વખતે આપ પાર્ટીના ચૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રક્શનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે. ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ધ થઈ છે. ત્યારે આપ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે કેજરીવાલ સાહેબ છૂટ્યા ત્યારથી જોઈએ છે.”
આ પણ વાંચો – Chaitar Vasava: મનરેગા કૌભાંડને લઈ સૌથી મોટો ધડાકો
આ પણ વાંચો – Dahod મનરેગાના નામે કરોડો રૂપિયા છાપવામાં કોંગ્રેસના હીરા જોટવાની એજન્સીઓ પણ સામેલ