Surendranagar : આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ગત મોદી રાત્રે એક સભા યોજી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે યોજેલી આ સભામાં ખેડૂતોના સ્થાનિક પ્રશ્નોને લઈ મજબૂતાઈથી પરિણામ સુધી લડવા માટે આહવાન કરવામાં આવ્યું..! જોકે ટૂંક સમયમાં મૂળી, થાનગઢ, ચોટીલા અને સાયલા સહિતના તાલુકાઓમાં સિંચાઈના પાણીની લડાઈની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગામડે ગામડે ખેડૂત સભાઓ કરી મજબૂત ખેડૂત સંગઠન ઉભુ કરીશું..! સાથે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખી મુળી તાલુકામાં જિલ્લા પંચાયત સીટ થી લઈને બુથ પ્રભારીઓ સુધીના પદાધિકારીઓની નિમણુક કરવામા આવી…!
Gujarat : ખેડૂતોના મહાસંગઠનને લઈને રાજુ કરપડાનો ચોટીલામાં હુંકાર
