Gujarat News: રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી 13 માર્ચ 2025 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયા 2025 તેમજ ‘પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પખવાડીયાનો શુભારંભ 14 જાન્યુઆરી 2025એ કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને 13 માર્ચ 2025 સુધી કરવામાં આવ્યો છે.
પ્રાણી કલ્યાણ પખવાડીયું 2025 ઉજવાશે
આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ અંગે નાગરીકોમાં જનજાગૃતિ વધારવા અને પશુધનના કલ્યાણને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, “પ્રાણી કલ્યાણ પખવાડીયા- 2025 અંતર્ગત જનજાગૃતિ માટે પશુપાલકો અને દૂરના ગામડાઓમાં વસતા નાગરીકોમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ આવે તે માટે સ્વ સહાય જૂથો, બિન સરકારી જૂથો NGO, ડેરી ફેડરેશન, જિલ્લા સહકારી મંડળીઓ અને દૂધ સંઘો સાથે ભાગીદારી કરવામાં આવશે.
દૂધ સંઘો સાથે ભાગીદારી કરવામાં આવશે
આ પખવાડીયાની ઉજવણી તમામ પશુ સારવાર સંસ્થાઓ, વેટરીનરી પોલીક્લિનિક સંસ્થાઓ ખાતે આગામી તા.13 માર્ચ 2025 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયું -2025 તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.