Gopal Italia એ CR Patil ને કહ્યું વિસાવદરમાં આવ્યા છો તો જનતા માટે આટલું તો કરતા જાવ
ગોપાલ ઈટાલીયાએ એક વિડિઓ બનાવી CR Patilને ભેંસાણ ના સામાન્ય માણસોના પ્રશ્નો જણાવ્યા અને જવાબ માંગ્યા. ગોપલ ઈટાલીયાએ કહ્યું કે સરકાર કેન્દ્રમાં 10 વર્ષથી ભાજપની છે, રાજ્યમાં 40 વર્ષથી ભાજપની સરકાર છે, સાંસદ સભ્ય 15 વર્ષથી ભાજપના છે,તો સ્થાનિકોને એની રોજગારી મળે તો મુદ્દાની કોઈ વાત ભાજપના કાર્યક્રમોમાં ક્યાંય આવતી નથી.
તેઓ કહ્યું કે ગરીબ માણસને સોવારીઓ પ્લોટ ન મળે, BPL નું કાર્ડ ન મળે,સરકારી સ્કોલોમાં શિક્ષકો નથી, સરકારી બસ ન આવે, સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી, સરકારી કોલેજના પ્રોફેસરો બહેનો દીકરીઓ સાથે અભદ્ર વાતો કરે છે, રેલવે કનેક્ટિવિટી નથી, રોડ રસ્તા સારા નથી, ભેસાણમાં GIDC નથી, ભેસાણમાં ફાયર સ્તોટેશન નથી,તો આ બધા પ્રશ્નો ઉપર આજે ભેસાણમાં પાટીલ સાહેબ શું વક્તવ્ય કરે છે એ ભેસાણની જનતા જાણવા માંગે છે.
આ પણ વાંચો- Gopal Italia પર હુમલા બાદ Visavadar પોલીસનો મોટો ખુલાસો