વિસાવદરમાં હવે મામલો મેદાને છે. બજાર એ વાયદાઓના એવા ખુલ્યા છે કે જેની કોઈ સીમા નથી. પોટલું ખુલ્યું હાથમાં જે આવ્યું એ વિસાવદરની જનતાના સામે ફેંક્યું. 800 દિવસમાં એવા કોઈ કામો નથી થવાના એ તમામ લોકોને ખબર છે. તેમ છતાય વાયદાઓ એવા થઈ રહ્યા છે કે, 800 દિવસ બાદ વિસાવદરમાં એન્ટ્રી કરવી હોય તો પાસપોર્ટની જરૂર પડે આવી બજારો વિસાવદરની અંદર અત્યારે ખુલી ગઈ છે.
જો કે આ બજારની વચ્ચે Gopal Italia Visavadar ના એક ગામમાં પહોંચ્યા કે જ્યાં વર્ષો બાદ નદીની વચ્ચેથી ચાલવા માટે એક વોકળું બન્યું છે. વોકળું બન્યા એને બે વર્ષ થયા અને હાલ જુઓ એના કેવા થયા ભ્રષ્ટાચારનો એ બોલતો પુરાવો છે. તેમ છતાંય જો સરકાર એની સામે કાર્યવાહી કરે તો કહેવાય કે ના આ સરકારની યોગ્ય કાર્યવાહી જેને બનાવ્યું એને દંડ આપે જેને બનાવ્યું એને ફરીવાર બનાવવાનું કહે. કેમ કે વોકળું બન્યું તો ખરા પણ રસ્તાની અંદર સળિયાનો એક લોખંડનો ભાગ નથી. કઈ હદ સુધી ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે એનો આ બોલતો પુરાવો છે આ વીડિયોમાં
આ પણ વાંચો – Visavadar: 800 દિવસ બાદ પેરિસ જેવા રસ્તાઓ બનશે!