Gondal : ગોંડલમાં રહેતા અને મુળ રાજસ્થાની યુવક રાજકુમાર જાટની કથિત હત્યાનો મામલો હવે ઉગ્ર બન્યો છે. આ કેસના પડઘા હવે રાજસ્થાનમાં પડ્યા છે. રાજસ્થાનના એડવોકેટે દાવો કર્યો છે કે પોલીસ અને જયરાજસિંહ જાડેજાએ મળીને હત્યાને એક્સિડન્ટ જારી કર્યું છે. આ સિવાય રાજકુમાર જાટના પિતા રતનકુમાર બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે પિટીશન પણ દાખલ કરી છે.
શું છે ઘટના
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટ અન તેનો પુત્ર રાજકુમાર ગત 2જી માર્ચે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે પિતા-પુત્રને અટકાવીને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં બંને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ અંગે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’ ત્યાર બાદ 3જી માર્ચે મધ્યરાત્રીના સમયે કૂવાડવા નજીક વાહનની અડફેટે અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.