Gondal ની અંદર અત્યાર સુધીમાં સૌથી મોટો ગુનો એ Nikhil Donga સામે નોંધાયો છે. નિખિલ દોંગાની સામે GUJCTOC હેઠળ ગુનો દાખલ થયેલો છે. જો કે હવે Banni Gajera ની સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ તેવી એક માંગ ઉઠી છે. બન્ની ગજેરા અને તેની ટોળકીએ રાજકીય તેમ જ સામાજિક આગેવાનોને બદનામ કરનાર અને ગુજરાતના મુખ્યમંત્રીની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જેમના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે સામાજિક આગેવાન Atul Dave નો રાજ્ય સરકારને વિનંતી કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.
ગુજરાતની અંદર છેલ્લા ચારથી પાંચ મહિનાની અંદર સતત આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ આ તમામની સામે વીડિયો અપલોડ કર્યા હતા. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જ સામાજિક આગેવાન અતુલ દવેએ આખી ઘટનાના સંદર્ભમાં બન્ની ગજેરાની સામે પણ ગુદસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટેની રાજ્ય સરકારને અપીલ કરી હતી.
સામાજિક આગેવાન અતુલ દવેએ કહ્યું, “હું ગોંડલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એને શાંતિ અને સલામતી ડોળતા અને લોકોને બદનામ કરતા આ તત્વોને પકડ્યા છે. એમના જે જે ગુનાહિત ઇતિહાસ છે અને જે લોકો આમાં સામેલ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જે લોકોને મરચા લાગ્યા હોય એ ભલે લાગે પરંતુ ગોંડલ પોલીસની કામગીરી તદ્દન યોગ્ય છે અને આખું ષડયંત્ર બહાર આવવું જોઈએ.”
આ પણ વાંચો – Weather Tracker: ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી!
અતુલ દવેએ વધુમાં કહ્યું, “મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે આ બન્ની ગજેરાના કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે. જે કઈ આ કરતો હતો અને જેના કહેવાથી કરતો હતો તે બધાની પણ ધરપકડ કરવામાં આવે. જેથી કરી ગોંડલની અને ગુજરાતની પ્રજાને ખબર પડે કે આ ગોકુળિયા ગોંડલને બદનામ કરવા માટે અમુક લોકો કેટલી હદ સુધી જઈ શકે છે. મારી તો ગુજરાત સરકારને વિનંતી છે કે આ બન્ની ગજેરા વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવે અને આવા તત્વો લાંબો સમય સુધી જેલમાં રહે એ જ સમાજના હિતમાં છે. કેમ કે આવા લોકો બહાર આવશે તો ફરીથી ગોંડલને અને સામાજિક આગેવાનોને બદનામ કરશે. એટલે ગોંડલની શાંતિની સલામતી માટે આવા લોકો લાંબો સમય જેલમાં રહે એ જરૂરી છે.”