Gondal : જયપુરમાં રાજકુમાર જાટ હત્યા કેસને લઈને ન્યાયની માંગ તેજ બની છે. આ મામલે CBI તપાસની માંગણી સાથે આજે રાજસ્થાનના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરા સાથે બેઠક યોજાઈ હતી. તેમણે પીડિત પરિવાર અને ન્યાય માટે લડી રહેલા લોકોને દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાની ખાતરી આપી. આ દરમિયાન મારુસેનાના પ્રમુખ એડવોકેટ જયંત મુંડ, ઓલ રાજસ્થાન જાટ મહાસભાના પ્રમુખ કુલદીપ દેવા, મહિલા પ્રમુખ અંકલેશ જાખર, પેટ્રન એડવોકેટ મહેશ માવલિયા, યશપાલ બલોડા, સંદીપ પુનિયા, અનિલ જાખરને મળ્યા હતા. આ બેઠક બાદ આશા છે કે ટૂંક સમયમાં સરકાર આ મામલે નક્કર પગલાં લેશે. જો કે, પીડિત પરિવારો અને આંદોલનકારીઓ હજુ પણ ન્યાયની ગેરંટી ઈચ્છે છે અને સીબીઆઈ તપાસની ઔપચારિક જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ છે. અને વિવિધ સંગઠનોએ સીબીઆઈ તપાસની માંગ પણ ઉઠાવી છે.
શું છે સમગ્ર ઘટના ?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટ અન તેનો પુત્ર રાજકુમાર ગત 2જી માર્ચે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે પિતા-પુત્રને અટકાવીને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં બંને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ અંગે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’ ત્યાર બાદ 3જી માર્ચે મધ્યરાત્રીના સમયે કૂવાડવા નજીક વાહનની અડફેટે અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.