રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતાં. અકસ્માતમાં ચાલક સહિત 16ને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શિયાણી ગામના કોળી પરિવાર પિતૃકાર્ય માટે બોલેરો પિકઅપ વાનમાં જતા હતા ત્યારે ચોટીલા નજીક ટ્રક ચાલકે ઓચિંતો વણાંક લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કોળી પરિવારના ચાર સભ્યો કાળનો કોળિયો બની ગયા હતાં.
બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના યુવાન પુત્રનું મોત થોડા સમય પહેલા થયું હતું. જેનું પિતૃકાર્ય માટે કોળી પરિવાર શિયાણી ગામથી સોમનાથ જવા નિકળ્યો હતો. ચોટીલા નજીક આગળ જતાં બોલેરાએ ઓચિંતો વણાંક લેતા ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં મગનજીબેન ગોબરભાઈ રેથરિયા ઉ.વ.70 તથા ગલાલબેન કાળુભાઈ રેથરિયા ઉ.વ.70, મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા ઉ.વ.65 અને ગવરીબેન પોચાભાઈ રેથરિયા ઉ.વ.78નું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 16 લોકો ગંભીર ઈજા થઈ હતી. તમામને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એક જ પરિવારમાં 4નાં મોત
અકસ્માત બાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જિલ્લા ટ્રાફિક તથા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. શિયાણી ગામે રહેતા ઘનશ્યામભાઈ રેથરિયાનો મોટો પુત્ર નાનપણમાં અવસાન પામ્યો હતો. પરિવારજનો સોમનાથ જતાં હતાં ત્યારે આ ઘટના બની હતી. બોલેરો પિકઅપ વાનમાં આગળ બધા મહિલાઓ અને બાળકો બેઠા હતા જ્યારે પાછળ બધા પુરુષો બેઠા હતા ટ્રક ચાલક ઓચીંતો આડો આવતા ચાલક દશરથભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
પિતૃકાર્ય માટે સોમનાથ જતા હતો પરીવાર
ચોટીલા નજીક બનેલા ગમખ્વાર અકસ્માતમાં લીંબડીના શિયાણી ગામના કોળી પરિવારનો માળો વિખરાઈ ગયો હતો. આ અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો છે. જેમાં પરિવારના મોટા જેઠાણી મગનજીબેન ગોબરભાઈ રેથરિયા તથા ત્રણ દેરાણી ગલાલબેન કાળુભાઈ રેથરિયા, બીજા દેરાણી મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા અને ત્રિજા દેરાણી ગવરીબેન પોચાભાઈ રેથરિયાનું મોત થયું છે. મૃતક મગનજીબેનને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે જ્યારે ગલાલ બેનંને ત્રણ પુત્ર જેમાં એક અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મંજુબેનને એક પુત્ર અને ગવરીબેંનને બે પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર કોળી પરિવારનો માળો વિખાયો છે.