Manmohan Singh Death: મનમોહન સિંહની અંતિમ યાત્રા, નિગમ બોધ ઘાટ પર શ્રદ્ધાંજલિ આપશે

Manmohan Singh Death: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું હતું. તેઓ 2004-14 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) ના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકિય સન્માન સાથે કરવામાં આવશે. શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ પહોંચશે

પૂર્વ મનમોહન સિંહે (Manmohan Singh) ની અંતિમ યાત્રામાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રેવત રેડ્ડી સહિત કોંગ્રેસના આગેવાન અને નેતાઓ સામેલ થયા હતા. પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયથી નિગમ બોધ ઘાટ પર લઈ જવામાં આવશે. પૂર્વ પીએમ મનમોહન સિંહ (Manmohan Singh) ના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયથી લગભગ 11 કિલોમીટર દૂર નિગમ બોધ ઘાટ પર લઈ જવામાં આવ્યો છે. મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ પહોંચશે. પૂર્વ પીએમના પાર્થિવ દેહને લઈ જવાના દરેક ચોક પર સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અંતિમ સંસ્કાર સવારે 11.45 વાગ્યે કરવામાં આવશે.ત્યારે ભાજપ સહિત અનેક આગેવાન હાજર રહેવાના છે.

શક્તિસિંહજી ગોહિલે મનમોહન સિંહના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી

સમાનતા, સફળતા ને સાદગી ના પ્રતિક તેવા ભારતના અમૂલ્ય રત્ન શ્રી મનમોહનસિંઘ જી ને આપણે સદા માટે ગુમાવ્યા છે . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ . આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરૂ છું.ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ સમિતિ વતી અને કાર્યકર્તાઓ વતી ડો મનમોહન સિંહના પાર્થિવ દેહ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

 

 

Scroll to Top