Rajkot માં ગમખ્વાર અકસ્માત, 5 ના મોત અનેક ઘાયલ

Rajkot News: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત અકસ્માત (accident)  ની મોટી ઘટના બની છે. આ અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર થયો છે. આ ગોજારા અકસ્માતમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  રાજકોટ (Rajkot) ના માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે આ અકસ્માત (accident) થયો હતો. અકસ્માત (accident) માં રિક્ષા ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી. ગંભીર અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષા પડીકુ વળી ગઈ હતી.

5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો

આ ગંભીર અકસ્માત (accident)  માં પાંચ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો અંદર ફસાયા હતા. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાંચ જેટલી 108 અકસ્માત (accident)  ના સ્થળ પર મોકલવામાં આવી છે. માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

 

Scroll to Top