હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક Diamond Worker એ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યાં છે. આ મુશ્કેલીનો સામનો કરવા રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયને સરકાર પાસે રાહતની માગ સાથે અનેક રજૂઆતો કરી હતી. જેને લઈ મુખ્યમંત્રી Bhupendra Patel એ ગત 11 માર્ચના રોજ ઓલ Gujarat Diamond Association ના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરી હતી. આ બેઠકના 74 દિવસ બાદ આજે રાજ્ય સરકારે રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે.
આજે રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghavi એ પત્રકાર પરિષદ યોજી હતી છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા DBT મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે. આ રાહતનો લાભ 31 માર્ચ 2024 પછી કામ ન મળ્યું અને તેમને કારખામાંથી છુટા કર્યા હોય તેને મળશે. તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે. 5 લાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે.
જો કે, ડાયમંડ વર્કર નીચે ચિન્હિત માંગ પણ સરકાર સમક્ષ રજૂ કરી હતી.
શું છે Diamond Worker Union ની માંગ?
- રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માંગ
- રત્નદીપ યોજના જાહેર કરવાની માંગ
- રત્નકલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત થાય
- મોંઘવારીને ધ્યાનમાં રાખીને 30 ટકા પગાર વધારાની માંગ
- હીરાઉદ્યોગમાં લેબર લોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે
- ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિ બનાવવામાં આવે
- રત્નકલાકારો પાસેથી લેવાતો પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે
- આત્મહત્યા કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક સહાયની કરી માંગ
આ પણ વાંચો – Corona in India: જુઓ કયા રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો?
આ પણ વાંચો – Rajkot Police: SP હિમકરસિંહ અને તેમની ટીમ પર લાગ્યા આરોપ!
ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા. ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતાં. હીરા ઉદ્યોગની મંદીને લીધે છેલ્લા 15 મહિનામાં 62 રત્નકલાકારોના આપઘાત અને હજારો કારીગરો બેરોજગાર બન્યા છે. જેની પાસે કામ છે તેઓ 50 ટકા વેતન કાપ સ્વીકારી મજૂરી કરી રહ્યા છે.