Diamond Worker: મંદીના માહોલમાં રાજ્ય સરકાર કરશે સહાયની જાહેરાત

Diamond Worker

હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક Diamond Worker એ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યાં છે. Surat ના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં દાયકાઓ પછી રત્નકલાકારોએ હડતાળ પાડી રેલી કાઢી હતી. ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતાં. હીરા ઉદ્યોગની મંદીને લીધે છેલ્લા 15 મહિનામાં 62 રત્નકલાકારોના આપઘાત અને હજારો કારીગરો બેરોજગાર બન્યા છે. જેની પાસે કામ છે તેઓ 50 ટકા વેતન કાપ સ્વીકારી મજૂરી કરી રહ્યા છે.


આ મુશ્કેલીનો સામનો કરવા રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયને સરકાર પાસે રાહતની માગ સાથે અનેક રજૂઆતો કરી હતી. જેને લઈ મુખ્યમંત્રી Bhupendra Patel એ ગત 11 માર્ચના રોજ ઓલ Gujarat Diamond Association ના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરી હતી. આ બેઠકના 74 દિવસ બાદ આજે રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરશે.

શું છે Diamond Worker Union ની માંગ?

  • રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માંગ
  • રત્નદીપ યોજના જાહેર કરવાની માંગ
  • રત્નકલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત થાય
  • મોંઘવારીને ધ્યાનમાં રાખીને 30 ટકા પગાર વધારાની માંગ
  • હીરાઉદ્યોગમાં લેબર લોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે
  • ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિ બનાવવામાં આવે
  • રત્નકલાકારો પાસેથી લેવાતો પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે
  • આત્મહત્યા કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક સહાયની કરી માંગ

આ પણ વાંચો – Amit Chavda: દાહોદ MANREGA કૌભાંડ પર સૌથી મોટો ખુલાસો!

આ પણ વાંચો – Weather Tracker: વરસાદ અને વાવાઝોડુંએ તો ભુક્કા કાઢી નાખ્યા!

રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghavi, વન-પર્યાવરણ મંત્રી Mukesh Patel અને શિક્ષણ મંત્રી Praful Pansheriya આ યોજનાઓ જાહેર કરશે. રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓની સંભવિત જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા.

Scroll to Top