રાજ્યમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેની અંદર એક પિતાએ નેતા તરીકે જે સબ જેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વર્તમાન સમયમાં એ જ જેલની અંદર એ નેતાના બંને પુત્રો હવા ખાઈ રહ્યા છે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા એટલે 2020માં Dahod Sub Jail નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે Pradipsinh Jadeja હતા. પ્રદીપસિંહ જાડેજાએ સબજેલનું ઉદ્ઘાટન કર્યું અને એમની સાથે મંત્રી Bachu Khabad પણ હતા.
મંત્રી બચુ ખાબડના પુત્રોનું નામ Manrega Scam માં સામે આવ્યું છે. આ 71 કરોડનું કૌભાંડ સામે આવતાની સાથે ખડભડાટ મચી ગયો છે. હવે ન માત્ર ગુજરાત પૂરતો આ કિસ્સો રહ્યો છે પરંતુ આ મુદ્દો નેશનલ બની ગયો છે. નેશનલ લેવલ પર જે મોટા મોટા પત્રકારો છે તે પણ આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, Amit Chavda એ, મનરેગા થકી ભાજપમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે, ચૂંટણીના વર્ષમાં મનરેગામાં વ્યાપક નાણાકીય ગોલમાલ થઈ છે. આ રૂપિયા ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હોવાની સંભાવનાઓ દર્શાવીને અમિત ચાવડાએ સમગ્ર મામલે વિજિલન્સની તપાસ કરાવવા અને જવાબદારોને જેલમાં ધકેલવાની માંગ કરી હતી.
આ પણ વાંચો – Weather Tracker: આ તારીખથી ગુજરાતમાં મેઘો મુશળધાર
આ પણ વાંચો – Amit Chavda: દાહોદ MANREGA કૌભાંડ પર સૌથી મોટો ખુલાસો!