Dahod: મનરેગા કૌભાંડ મંત્રી Bachu Khabad ના પુત્રો સાથે DDO અને એકાઉન્ટન્ટની પણ ધડપકડ
Dahod:
મનરેગા કોભાંડ મામલે જામીન મંજૂર થયેલા ત્રણ કર્મચારીઓની ફરી ધડપકડ કરવામાં આવી છે. જે રીતે મંત્રી પુત્રોની પહેલા ધડપકડ કરાઈ હતી, ત્યારબાદ એમના જામીન પર મુક્ત થયા હતા. જામીન પર મુક્ત થયા બાદ પહેલા કિરણ ખાબડની ધડપકડ કરાઈ હતી, ત્યારબાદ એમના બીજા પુત્ર બળવંત ખાબડની પણ ધડપકડ કરાઈ હતી. ત્યારબાદ જે અન્ય લોકો હતા એમની પણ ધડપકડ થઈ ગઈ.
મનરેગા કોભાડમાં ફરી DDO રસિક રાઠવા અને એકાઉન્ટન્ટ મહેશપાલસિંહ ચૌહાણને ભાણપુરના ગુનામાં, જયવીર નાગોરીને લાવારિયાના ગુનામાં જામીન થતા, ફરી પોલીસે ધડપકડ કરી લીધી છે.
બંને મંત્રીપુત્રોના રિમાન્ડ પૂર્ણ થતા કિરણ ખાબળ અને બળવંત ખાબળને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. કુલ પાંચ કર્મચારીઓની જામીન અરજી મંજૂર કરાય હતી. જેમાં ત્રણ કર્મચારીઓની ફરી ધડપકડ કરાઈ છે અને બે GRS ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે .જો કે હજુ તપાસ ચાલુ છે અને જો તપાસમાં કઈ નીકળશે તો એ બંને જામીન મુક્ત થયેલા લોકોને ફરી ધરપકડ કરવામાં આવી શકે એમ છે.