Manipur violence: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે પણ છતાં પણ હજુ સ્થિતિ કાબુમાં આવી નથી. ચુરાચાંદપુર જિલ્લામાં ફરી એક વાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જેના સંપૂણૅ નિયમો 17એપ્રિલ સૂધી ચુરાચાંદપુર સિવાય કાંગવાઈ,સમુલામલન અને સાગાંઈકોટ સબ-ડીવિઝનના બે ગામોમાં લાગુ રેહશે, બાકીના વિસ્તારો માટે જરૂરી સર-સામાન અથવા સેવાઓ માટે 17એપ્રિલ સુધિ સવારે 6 થી સાંજના 5 વાગ્યા સુધી કફયૅુમાં છુટ-છાટ આપવામાં આવશે.
આ વખતે ઝંડાને લઇ વિવાદ છેડાયો
18મી માચૅ ચુરાચાંદપુરમાં જોમી અને હમાર જૂથના સમર્થકો સામસામે આવી ગયા હતા. ત્યારે એક વ્યકિત ટાવર પર ચઢીને જોમી કોમનો ઝંડો ઉતારી નીચે ફેકીં દેતા વિવાદ ઉગ્ર બન્યો હતો. આ બંને જૂથ વચ્ચે થયેલ અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક વ્યકિતનું મૃત્યુ થયું હતું. પરિસ્થિતિને ધ્યાને લઈને બંને ગામના અધિકારીઓએ બેઠક બોલાવી બેઠકમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે લોકોને અફવાઓ નહીં ફેલાવવા અપીલ કરવામાં આવી છે. બંને ગામો વચ્ચે જમીનનો વિવાદ ચાલે છે તેનો ઉકેલ વાતચીત દ્વારા લાવવામાં આવશે.
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન
મણીપુરના પૂર્વ મુખ્યમંત્રી એન બીરેનસિંહે રાજીનામુ આપ્યું ત્યાર બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, આ હિંસામાં લગભગ 250 લોકો માર્યા ગયા હતા. પથ્થરમારો, આગચંપી અને અનેક મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર પર પણ હુમલો થયો, આ સિવાય ઘણા વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી. જેના પગલે સુરક્ષાને ઘ્યાનમાં લઈ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
Weather Update | અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી, ભર ઉનાળે પડી શકે છે વરસાદ