Bharuch જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાના ખુલાસાને લઈને ધારાસભ્ય Chaitar Vasava એ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ‘કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે અને જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો અને સાંસદોને પણ હપ્તા આપ્યા છે.’
MNREGA Scam મામલે Mansukh Vasava ના ઘટસ્ફોટને લઈને Chaitar Vasava એ કહ્યું કે, ‘મનસુખ વસાવાની જ સરકાર છે અને તેમને કહ્યું તે સાચી વાત છે. ગાંધીનગર સુધી આ કૌભાંડની જળ છે, જો તપાસ કરાવવામાં આવે તો બધા લોકો સંડોવાઈ તેમ છે. પહેલા જ્યારે મે આ વાત કરી હતી, ત્યારે મનસુખ વસાવાએ ના કહી હતી કે એવું કોઈ કૌભાંડ થયું જ નથી. આજે સાંસદ જાતે જ કહે છે કે ઉપર સુધી હપ્તા પહોંચે છે. આ કહેવા બદલ સાંસદને અભિનંદન આપું છું.’
આ પણ વાંચો – Mansukh Vasava: “ગાંધીનગરમાં કોઈ દૂધે ધોયેલા નથી”
સાંસદ મનસુખ વસાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.