Chaitar Vasava ન્યૂઝરૂમ ગુજરાત પર સંવાદદાતા દિક્ષિત ઠકરાર અને કિશન કાંટેલિયા સાથે વાતચીત કરી હતી. ચૈતર વસાવાએ આ વાતચીતમાં મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, “આ હીરાભાઈ જોટવા તો મનરેગા કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે. આમના પર સરકાર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવે. અમારી પાસે ત્રણ વર્ષના પુરાવા આવ્યા છે. આજે પણ સ્થળ પર કામ થયું નથી. આ હીરા જોટવાની જેટલી એજન્સીઓ છે ને બચુ ખાબડની જેટલી એજન્સીઓ છે 2000 થી 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ.શે હું ચેલેન્જ સાથે કહું છું ખાલી પાંચ વર્ષનું તપાસ કરાવી લો. 2000 થી 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. અગર નહી આવે તો અમે રાજનીતિ છોડી દઈએ. બચુભાઈ ખાબડ અને આ હીરાભાઈ જોટવા બંનેનું મળીને 2000 થી 2500 કરોડનું કૌભાંડ બહાર આવવાનું છે.”
આ પણ વાંચો – Hira Jotva: ઇતિહાસનો સૌથી મોટો માનહાનિનો દાવો કરીશ
આ પણ વાંચો – Dahod મનરેગાના નામે કરોડો રૂપિયા છાપવામાં કોંગ્રેસના હીરા જોટવાની એજન્સીઓ પણ સામેલ