Chaitar Vasava એ CR PATILને આપ્યો કરારો જવાબ
Chaitar Vasava સાથે સી.આર, પાટીલના નિવેદન અંગે પૂછતાં તેઓએ કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ સી.આર.પાટીલે એમને સુરત ખાતે પોતાની ઓફિસમાં મને ત્રણ વાર બોલાવ્યા હતા. ગાંધીનગર એકવાર બોલાવ્યા હતા. અમે રૂબરૂ મળ્યા હતા ચાર વખત.એમના ધારાસભ્યને પણ મારી પાસે અનેક વાર મોકલ્યા હતા. એમણે મને ભરૂચ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે એમણે મારા પર દબાણ કર્યું હતું. પણ હું આમ આદમી પાર્ટી સાથે હતો અને આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનમાંથી મારે લડવાનું હતું. મેં જે તે વખતે સ્પષ્ટ ના પાડી હતી.
બાદમાં મારા પર ખોટા ફરજી કેસ પણ ભારતીય જનતા પાર્ટી કરવામાં આવ્યા. મારા પરમા રાખવામાં આવ્યા એટલે જ સીઆર પાટીલે કીધું કે અમારા માંથી ટિકિટ આપી વાત બિલકુલ ખોટી છે એમણે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે જ મને બોલાવ્યા હતા અને દબાણ પણ કર્યું હતું અને સ્પષ્ટ ના પાડી હતી.
સીઆર પાટીલને જવાબ આપવા અંગે તેઓએ કહ્યું કે સીઆર પાટીલે ચૂંટણી દરમિયાનના નિવેદનો આપ્યા છે, ત્યારે કોઈપણ પક્ષ પાર્ટી ચૂંટણી દરમિયાન આવા આક્ષેપો કરતા હોય છે. જે હકીકત છે એ અમે તો મીડિયા દ્વારા જાહેરાત પણ જે તે વખતે કરી હતી, કે અમારી પાસે આ લોકો આવ્યા હતા. આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું .એટલે એનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી. અમે આમ આદમી પાર્ટીમાં છીએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટલિયા જીતીને આવશે, તો એક ટીમ બનીને ગુજરાતમાં આવનારા દિવસોમાં પાર્ટીને મજબૂત બનાવવાનું કામ અમે કરીશું.
આ પણ વાંચો- Visavadar ભાજપની સભા બાદ Gopal Italiaએ Kirit Patel પર લગાવ્યા હુમલા ના આરોપ