Bridge Collapse: 24 કલાક પછી સાંસદનો સાંભળો ઉડાઉ જવાબ

Bridge Collapse
  • ગંભીરા બ્રિજની ગંભીર ઘટના બાદ પણ નેતાઓ ગંભીર નથી
  • સાંભળો, આણંદના સાંસદ મિતેષ પટેલનો ઉડાઉ જવાબ
  • NEWZ ROOM ની ટીમે સાંસદશ્રી ને કર્યો ફોન
  • બ્રિજ દુર્ઘટનામાં કેટલાના જીવ ગયા તે સાહેબને નથી ખબર
  • અમારા સંવાદદાતાએ કહ્યું કે ઘટના પર પ્રતિક્રિયા લેવી છે
  • તો સાહેબે કહ્યું, “એ તો પતિ ગયું કાલે”
  • ઘટના ભી પતી ગઈ: સાંસદ મિતેષ પટેલ

Bridge Collapse: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તુટી જવાની ગંભીર ઘટનામાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક જ NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 7 લોકોના રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ન્યૂઝરૂમ ગુજરાતે MP Mitesh Patel સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ગંભીરા બ્રિજની ગંભીર ઘટના બાદ પણ નેતાઓ ગંભીર નથી.

આ પણ વાંચો – Bridge Collapseની દુર્ઘટના બાદ સ્થાનિકોએ માનવતા બતાવી ત્યારે પોલીસે સવેંદના આપવાને બદલે દબંગાઈ બતાવી

આણંદના સાંસદ મિતેષ પટેલનો આવો જવાબ કેટલું યોગ્ય છે. મિતેષ પટેલ સાહેબે એવું કહ્યું કે એ તો પતિ ગયું કાલે, ઘટના ભી પતી ગઈ. હવે આ સાંસદને એ પણ નથી ખબર કે આ ગોઝારી ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાહેબના ઘરેથી કોઈએ જીવ ગુમાવ્યું હોત તો ત્યારે પણ શું તેઓ આવો જવાબ આપવાના હતા?

 

 

Scroll to Top