ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ : આંતરિક વિખવાદ,કુદરતી આપત્તિઓના કારણે વિમાસણમાં મુકાયા કાર્યકર્તાઓ

સદસ્યતા અભિયાન શરૂ:
ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થયું છે.

પૂરની અસર:
ગુજરાતમાં પૂરના કારણે નાગરિકોમાં રોષ અને બદતર આર્થિક પરિસ્થિતિ વચ્ચે સદસ્યતા અભિયાન કાર્યકર્તાઓ માટે પડકાર.

લક્ષ્ય:
4 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી દરેક જન પ્રતિનિધિ અને પાર્ટી હોદ્દેદારોએ ઓછામાં ઓછા 100 સભ્યો બનાવવા ફરજિયાત.

કાર્યકર્તાઓની પરિસ્થિતિ:
પુરના કારણે કાર્યકર્તાઓ અને પક્ષના પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે.એક તરફ જનતા નેતાઓનો પ્રતિકાર કરી રહી છે.

ચિંતાની બાબત:
પૂરના કારણે સદસ્યતા અભિયાનને મોટો આંચકો મળી રહ્યો છે.

આંતરિક વિભાજન:
કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે ખદબદતુ આંતરિક રાજકારણ પક્ષમાં ચિંતાનો મુદ્દો છે.અનેક નેતાઓ એકબીજાને પાડી દેવાની રાજનીતિ કરી રહ્યા છે.ત્યારે આ સદસ્યતા અભિયાન કેટલું સફળ થશે તે જોવું રહ્યું.

શું છે ભાજપનું ભવિષ્યનું આયોજન?
સદસ્યતા અભિયાનને સફળ બનાવવું અને નાગરિકોની નારાજગી ઉકેલવા માટે સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપવામાં આવશે.

Scroll to Top