Bhavnagar: ગુજરાતમાં વધુ એક ભાજપનો લેટર કાંડ સામે આવ્યો છે. આ લેટરકાંડ અમરેલીથી નહીં પરંતુ તેના બાજીનો જિલ્લો એટલે કે ભાવનગરથી સામે આવ્યો છે. આ લેટર ભાવનગર જિલ્લાના સિહોર ભાજપનો વાયરલ થયો છે. જેમાં 40 કરોડનો ભષ્ટાચાર કરનાર ત્રણ પરિવારોથી સિહોરની બચાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લેટરમાં પાટીલ, રત્નાકરજીની વાત કરવામાં આવી છે. આ લેટર વાયરલ થતા હાહકાર મચી ગયો છે.