બનાસકાંઠાના ખેડૂતોનો અનોખો વિરોધ, પિયત માટે પાણી ન મળતા સરકારને ચીમકી

બનાસકાંઠાના સરહદી અને ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલ વાવ તાલુકાનું છેવાળું ગામે ખેડુતોએ અનોખો વિરોધ કર્યો છે. શિયાળામાં ખેડુતોને રવી પાક ઉગાડવોનો હોય છે. તેવા સમયમાં કેનાલનું પાણી ન આવતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામના ખેડૂતો કેનાલ પર ભેગા થઈ ઢોલ વગાડી વિરુદ્ધ દર્શાવ્યો હતો. પિયતના પાણી માટે કેટલી વાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીના પેટમાં પાણી પણ હલતું નથી. અગામી સમયમાં પાણી નહીં આવે તો ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતરશે.

પાણી ન મળતા કેનાલ પર ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો

શિયાળાના પાક વાવેતરનો યોગ્ય સમય આવી ગયો છે. પરંતુ નર્મદા નિગમ દ્વારા પિયત માટે કેનાલ મારફતે વાવ થરાદ સુઈગામ ભાભર પંથકમાં પાણી પહોંચાડવામાં આવે છે. વાવ તાલુકાના
રાધાનેસડા ગામના ખેડૂતોને રવિ સિઝનનો એક મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી કેનાલમાં પાણી પહોંચ્યું નથી. જોકે તંત્રની ઢીલી નીતિથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આ વર્ષે નહીં પરંતુ દર વર્ષે ખેડૂતોને પિયતનું રેગ્યુલર પાણી મળતું નથી.

રાઘાનેસડા ગામના ખેડૂતોનો અનોખો વિરોધ

પાકનો સમય હોય અને પાણી ન મળતા ખેડૂતોએ કેનાલમાં પહેલા આગ લગાડી અને ઢોલ વગાડી તંત્ર સામે વિરુદ્ધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે રવિ સિઝનનો એક મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ અમારા ગામ સુધી કેનાલનું પાણી પહોંચ્યું નથી અમને પાણી મળશે તેની આશાએ ખેડ ખાતર અને બિયારણોમાં લાખો રૂપિયાનો બગાડ થયો છે. કેનાલના પાણી માટે રાત દિવસ રાહ જોઈએ છીએ પરંતુ પાણીના પહોંચતા પરેશાન થઈ ગયા છે. નર્મદા નિગમના અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો પણ અધિકારીએ ફોન ઉપાડતા નથી.

Scroll to Top