Kashmirના સપાના જોતું Pakistanના હાથમાંથી બલુચિસ્તાનનું મંગોચર શહેર સરકી ગયું

Baloch Liberation Army Captures Town In Balochistan, Clashes With Pakistani Forces

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બંને દેશ વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં બલૂચિસ્તાની બળવાખોરોએ મંગોચર શહેર પર કબજો કરી લીધો છે.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી બલુચિસ્તાન પણ એક્શનમાં આવી ગયું છે. પાકિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર શહેરમાં ઘણી સરકારી ઇમારતો અને લશ્કરી મથકો પર બલૂચ બળવાખોરોએ કબજો કરી લીધો છે.

પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં વિદ્રોહીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો અને હથિયાર કબજે કર્યા હતા.

આતંકવાદી હુમલા બાદ ભારત જવાબી સૈન્ય કાર્યવાહી કરશે એવી આશંકાથી પાકિસ્તાનની સરકારે પોતાની સેનાને ભારતની સસરદો નજીક તૈનાતી વધારી છે એવા સમયે બની છે. આર્થિક સંકટ સામે લડી રહેલું પાકિસ્તાનને અત્યારે બેવડા મોર્ચે લડવાની નોબત આવી છે.

પાકિસ્તાનના પ્રમુખ મીડિયા સમૂહ ડોનના અહેવાલ અનુસાર બલૂચિસ્તાન લિબરલ આર્મીના લોકો ક્વેટા-મંગોચર હાઇવે પર સરકારી બસ અને ખાનગી વાહનોની તલાસી લઇ રહી છે.

26 એપ્રિલના રોજ બલુચિસ્તાનમાં IED વિસ્ફોટમાં 10 અર્ધલશ્કરી જવાનો માર્યા ગયા હતા, જેની જવાબદારી BLA એ લીધી હતી. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ બગડ્યા છે.

Scroll to Top