Aravalli: મંત્રી ભીખુસિંહ પરમારના 2 પુત્રો સહીત 6 સામે નોંધાઈ ફરિયાદ,વરઘોડો નિકળશે?

Aravalli: અરવલ્લી ભાજપ જિલ્લા યુવા મોરચા અને મોડાસાના ધારાસભ્ય અને અન્ન પુરવઠા મંત્રીના પુત્રએ અજાણ્યા શખ્સને માર મારતા હોય તેવા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. સમગ્ર ઘટના મોડાસા શહેરના રામપાર્ક વિસ્તારમાં મંત્રીપુત્ર કિરણસિંહ અને ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિત સાથીદારોએ કેટલાક યુવકોને જાહેરમાં ડંડા અને બેટ વડે માર મારતો હોય તેવો વીડિયા વાયરલ થયો છે.આ વીડિયો સામે આવ્યા બાદ મંત્રી ભીખુસિંહ પરમારના 2 પુત્રો તેમજ યુવા મોરચાના પ્રમુખ અમિષ પટેલ સહીત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

જાહેરમાં યુવકોને માર મારવાને મામલે કાર્યવાહી 

મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ અને જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલે જાહેરમાં માર મારી હિંસક હુમલો કર્યો હતો તથા અપહરણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મંત્રી પુત્રો અને યુવા મોરચા પ્રમુખ સહિતના મારામારી કરતા શખ્સોસામે ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો છે.આ ઉપરાંત માર ખાનાર જયમીન ત્રિવેદીએ આઠ દિવસ બાદ તેની ઉપર થયેલા હિંસક હુમલાને લઈને મંત્રી પુત્ર યુવા મોરચા પ્રમુખ સહિત લોકો સામે ગુનો નોંધાવ્યો છે.

જયમીન ત્રિવેદી નામના શખ્શે ફરીયાદ નોંધાવી

મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્ર સાથે ચાઈનીઝની લારી ચલાવતા યુવક સાથે માથાકૂટ થઈ હતી તે બાદ ઝઘડો થયો હતો તેનો બદલો લેવા માટે ભીખુસિંહ પરમારના પુત્રો રણજીતસિંહ કિરણસિંહ યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ સહિતના શખ્સોએ ચાઇનીઝની લારી ચલાવતા યુવક અને અન્ય યુવક જૈમીન ત્રિવેદી ઉપર હિંસક હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રી પુત્ર યુવા મોરચા પ્રમુખ સહિત લોકોનો હિંસક હુમલો સહન કરનાર યુવક જૈમીન ત્રિવેદીએ આખરે તેમની સામે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ મોડાસાના રામ પાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના કેટલાક લોકોએ યુવકો ઉપર હિંસક હુમલો કર્યો હતો.

 

 

 

 

 

Scroll to Top