Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર (Patidar) સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં મોટો વિવાદ થયો છે. આ લેટર કાંડ મુદ્દે પાટીદાર (Patidar) સમાજના વિવિધ અગ્રણીએ સખત નારજગી વ્યકત કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત પાટીદાર (Patidar) સમાજના અગ્રણીઓએ અમરેલી (Amreli) માં ખોડલધામ સમિતિની બેઠક ચાલી રહી છે. આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારા કરી રહ્યા છે.આ બેઠકનો ઉદ્દેશ્ય પાટીદાર યુવતીને જેલ માંથી બહાર કાઢવાનો છે.
દીકરીને જેલમાંથી બહાર લાવવાવ માટે થશે ચર્ચા
અમરેલી (Amreli) માં સમગ્ર પાટીદાર (Patidar) સમાજના આગેવાન આવ્યા છે. આ બેઠક પાટીદાર (Patidar) સમાજના અગ્રણી કરી રહ્યા છે. આ બેઢકનું સંચાલન નરેશ પટેલ કરી રહ્યા છે. હવે આ બેઠકમાં કૌશિક વેકરીયા અને ભરત સુતરીયા બેઠકમાં હાજર રહ્યા છે. આ બેઠકમાં દીકરીને જેલ માંથી આજે ને આજે દીકરી છુટે તે અંગે કામ કરવામાં આવશે.પાટીદાર (Patidar) સમાજની લીગલ ટીમ પોલીસને પણ રજૂઆત કરશે.ભાજપ ,આપ અને કોગ્રેસ તમામ પાર્ટીના પાટીદાર (Patidar) નેતા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા,ગોપાલ ઈટાળીયા, મનોજ પનારા, નરેશ પટેલ,કૌશિક વેકરીયા ,ભરત સુતરીયા સહિત અનેક પાટીદાર આગેવાન હાજર રહ્યા હતા.
લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ
લાલજી પટેલે લેટર કાંડ મુદ્દે ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે અમરેલી જિલ્લામાં સ્થાનિક લેવલે રાજકીય બાબતે અંદરો અંદર ડખાના કારણે સમાજની એક દીકરી ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, જેઓ પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી. આ દિકરીનું કોઈને બદનામ કરવાનું ઈરાદો ન હતો. પરંતુ માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરી આપ્યું હતું.આ કુવારી દીકરીને ખોટીરીતે ગુન્હેગાર બનાવી રાત્રે 12:00 કલાકે આ દીકરીને ઘરેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમો મુજબ એક મહિલા ગુન્હેગાર હોય તો પણ તેમનું સરઘસ અને ફોટા પણ વાયરલ ન કરવા અને રાત્રિના સમયે તેની ધરપકડના કરવી તે બંધારણીય જોગવાઈ છે. તથી મુખ્યમંત્રી આ તપાસ કરી દીકરીનું સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરી પગલા ભરવા વિનંતી.