Amit Chavda: દાહોદ MANREGA કૌભાંડ પર સૌથી મોટો ખુલાસો!

Amit Chavda

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, Amit Chavda એ, મનરેગા થકી ભાજપમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે, ચૂંટણીના વર્ષમાં મનરેગામાં વ્યાપક નાણાકીય ગોલમાલ થઈ છે. આ રૂપિયા ચૂંટણીમાં વાપરવામાં આવ્યા હોવાની સંભાવનાઓ દર્શાવીને અમિત ચાવડાએ સમગ્ર મામલે વિજિલન્સની તપાસ કરાવવા અને જવાબદારોને જેલમાં ધકેલવાની માંગ કરી હતી.

શું છે આ સમગ્ર ઘટના?

ચકચારી Dahod Manrega Scam માં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર Balwant Khabad ની ધરપકડ કરવામાં આવી હતી. મનરેગા અંતર્ગત રૂ. 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. બંને મંત્રી પુત્રોએ 29.45 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે કરેલા 9 કરોડ રૂપિયાના કામોમાં 82 લાખ રૂપિયાના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે Kiran Khabad ની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હતાં. એન.જે કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.

અમિત ચાવડાએ કહ્યું કે, દાહોદમાં પંચાયત મંત્રી Bachu Khabad ના પુત્રો જેલમાં ગયા છે. તેને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ પુરાવાઓ મંત્રી-પુત્રની વિરુદ્ધમાં છે. આવો જ બીજો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાં છે. ત્યા પણ સગા વ્હાલાઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

અમિત ચાવડાએ મનરેગા યોજનામાં કેવી રીતે પારદર્શક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનો આંકડાઓ રજૂ કરીને પર્દાફાશ કર્યો હતો. પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં 26 ગામ આવે છે અને 42 હજારની વસ્તી છે. પરંતુ મનરેગા યોજના થકી તેમાં 2021-2022ના વર્ષમાં 54 કરોડ 39 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ પૈકી 21 ટકા રકમ મજૂરી પાછળ અને 79 ટકા રકમ મટિરિયલ પાછળ વપરાયો છે. મનરેગા યોજના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારી આપવા માટે છે. આ કાયદા મુજબ 60 ટકા રકમ રોજગારી હેઠળ અને 40 ટકા રકમ મટિરિયલ પાછળ વાપરવાની જોગવાઈ છે. તેનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – operation ‘માફિયા’ જુઓ ગુજરાતના મુન્દ્રા પોસ્ટ થી લઇ નેપાળ સુધી કઈ રીતે ચાલે છે કરોડોનો કાળો કારોબાર

આ પણ વાંચો – પિયુષ રાદડિયા મામલે Jigisha Patel જેતપુર પોલીસ સ્ટેશન પહોંચી કહ્યું કોને આપી ચેતવણી..!

ગુજરાત વિધાનસભા કોંગ્રસ પક્ષના નેતા અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, જે વર્ષમાં ભાજપે ધનસસંચય યોજના અમલમાં મૂકી હતી તે 2022-2023ના વર્ષમાં માત્ર જાંબુઘોડા તાલુકામાં જ મનરેગા હેઠળ 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે જેમાંથી માત્ર 6 ટકા રકમ જ મજૂરી માટે ચૂકવાઈ છે. બાકીની 94 ટકા રકમ મટિરિયલ માટે વપરાઈ છે.

Scroll to Top