allu arjun: એક્ટર અલ્લુ અર્જુન કેમ પોલીસ સમક્ષ હાજર થયો? જાણો કારણ

allu arjun: હૈદરાબાદ પોલીસે સોમવારે અભિનેતા અલ્લુ અર્જુન (allu arjun) ને નવું સમન્સ જારી કર્યું છે. જેમાં તેમને 4 ડિસેમ્બરે પુષ્પા 2 (pushpa2) ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં મંગળવારે સવારે 11 વાગ્યે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ મામલે અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જામીન પર મુક્ત કરવામાં પણ આવ્યો છે. આ સમન્સ બાદ અલ્લુ અર્જુન (allu arjun) હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

થોડા દિવસ પહેલા અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી હતી

તમને જણાવી દઈએ કે પુષ્પા 2 (pushpa2) પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે તેનો પુત્ર હજુ પણ જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે. આ કેસમાં અલ્લુ અર્જુન (allu arjun) ની ધરપકડ કરવામાં આવી હતી. તેમને એક રાત જેલમાં પણ રહેવું પડ્યું હતું. આ ઘટનાથી તેલંગાણામાં રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપ અને BRSએ આ મામલે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે કે તે જાણીજોઈને ફિલ્મી હસ્તીઓ સામે કાર્યવાહી કરી રહી છે.જ્યારે ગત રવિવારે કેટલાક પ્રદર્શનકારીઓએ નાસભાગમાં માર્યા ગયેલી મહિલા માટે ન્યાયની માંગણી કરતી વખતે પુષ્પા 2 (pushpa2) સ્ટારની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ પછી વિરોધ પ્રદર્શનમાં સામેલ છ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.પરંતુ સોમવારે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

પિતા અલ્લુ અરવિંદે આ વાત કહી

અલ્લુ અર્જુન (allu arjun) ના પિતા અલ્લુ અરવિંદે આ અંગે કહ્યું હતું કે અત્યારે અમારા માટે કંઈપણ પ્રતિક્રિયા આપવાનો યોગ્ય સમય નથી. તેમણે વધુમાં કહ્યું કે પોલીસે તોડફોડ કરનારાઓની ધરપકડ કરી છે અને તેમની સામે કેસ નોંધ્યો છે. કોઈએ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. હવે ધીરજ રાખવાનો સમય છે. કાયદો કાયદાનું કામ કરશે.

 

 

Scroll to Top