Visavadar ભાજપની સભા બાદ Gopal Italiaએ Kirit Patel પર લગાવ્યા હુમલા ના આરોપ
Gopal Italia પર Visavadarમાં થયેલા હુમલાને લઇ ને અમારી સાથે ગોપાલ ઈટાલીયાએ ટેલેફોનીક વાતચીત કરી હતી.
તેઓએ કહ્યું હતું કે અમારી સભા ચાલુ હતી, સભા પૂરી થયા પછી ભાજપના કોર્પોરેટરનો છોકરો અને ભાજપના બીજા કોર્પોરેટરનો ભાઈ અને એના મળતું આટલા લોકો ત્યાં ટોળું લઈને આવ્યા. હાથમાં પથરાવો લઇ અને હું ત્યાં હાજર ન હતો. હું તો અમારા બીજા કાર્યકર્તાના ઘરે ચા પાણી કરવા ગયો હતો. પણ ત્યાં આવીને બધાએ માથાકૂટો કરી બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાં પથરા મારવાની કોશિશ કરી અને ત્યાં સ્થાનિક જે લોકો આવ્યા હતા, સભામાં એમને પણ એને ગાળો દીધી કે તમે લોકો શું આની સભામાં જાવ છો.
આ પછી સી.આર.પાટીલ વિશે પૂછતાં તેઓએ કહ્યું કે સી.આર.પાટીલને ભાજપના એક પણ ઉમેદવાર પર વિશ્વાસ નથી. જો તેને વિશ્વાસ હોત તો બીજી પાર્ટીના કાર્યકર્તા લઈ આવે છે ટિકિટો આપે છે, મોટા મોટા હોદ્દા આપે છે, બોર્ડ નિગમના ચેરમેન બનાવે છે.
આ પણ વાંચો-Visavadar માં CR PATIL નો આક્રમક અંદાજ દિલ્હી થી લઇ ગુજરાતના AAP નેતાઓને ફેંક્યો પડકાર