Aap Gujrat: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli)માં ગઈકાલે ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. જેમાં પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહી દીકરી જેલમાંથી કઈ રીતે જામીન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ આમ આદમી પાર્ટી (Aap) ના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેમાં માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, તે જ રીતે 6,000 કરોડના કૌભાંડી અને ભાજપ (bjp) ના નેતાઓની સાથે સાંઢ-ગાંઠ રાખનાર ભુપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે.વિવિધ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા આમ આદમીના વિવિધ નેતા પર સૂત્રચાર કરનાર પાટીદાર દીકરીઓ અને યુવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR કરવામાં આવી હતી.જ્યારે અડધી રાત્રે બધાને પકડીને જેલમાં પૂરી દીધા હતા.
ભાજપના નેતાઓના સરઘસ કેમ નથી નીકળતા?
પાટીદાર સમાજની દિકરીનું સરઘસ કાઢવા બાબતે આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેમા FIR કરવામાં આવી હતી.જ્યારે અડધી રાત્રે બધાને પકડીને જેલમાં પૂરી દીધા હતા.આ બાબતે આમ આદમી પાર્ટી (Aap) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું ભાજપ અને ભાજપના નેતાઓ પાટીદાર સમાજને નફરત કરતા હોય તેવું લાગી રહ્યું છે.પહેલા અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના લોકો અને દીકરીઓએ હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચાર કર્યા તો ત્યારબાદ હર્ષ સંઘવીએ આદેશ આપ્યા કે સૂત્રચાર કરનાર પાટીદાર દીકરીઓ અને યુવાનો સામે FIR કરવામાં આવી હતી. વેધક સવાલ કરતા કહ્યું આનાથી શું સાબિત કરવામાં આવી રહ્યું છે? પહેલા તમે તમારી ફરજ પૂરી નથી કરી શકતા અને જ્યારે કોઈ વ્યક્તિ તમારી ફરજ બતાવવા માટે કોઈ તમને જાગૃત કરે તો તમે તેના પર પણ FIR કરો છો, આ તો એકદમ તાનાશાહી છે. માત્ર પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરવાથી હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે અડધી રાત્રે બધાને પકડીને જેલમાં પૂરી દીધા છે.
ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લીધા
ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લેતા કહ્યું હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ જો કોઈના જાહેરમાં સર્કસ નીકળ્યા હોય તો તે આમ લોકોના અને પાટીદાર સમાજના લોકોના સરઘસ નીકળ્યા છે. તો મારો સવાલ છે કે ભાજપના મોટા નેતાઓના સરઘસ કેમ નથી નીકળ્યા? અને સુરતમાં જે પાટીદાર દીકરીઓ પર અને આમ આદમી પાર્ટી (Aap) ના નેતાઓ તથા કાર્યકર્તાઓ પર જે એફઆઇઆર કરવામાં આવી છે તે તો તાનાશાહીની હદ છે. હવે ભવિષ્યમાં ક્યારેય પણ ગુનેગાર હોય છતાં પણ પાટીદાર દીકરીની સાથે સાથે બીજી કોઈપણ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવશે તો આમ આદમી પાર્ટી (Aap) નો એક એક કાર્યકર્તા આનો વિરોધ નોંધાવશે.