BJP Gujrat: ભાવનગર ભાજપમાં લેટર બૉમ્બનો વિસ્ફોટ, 40 કરોડના ભ્રષ્ટાચારથી ખળભળાટ

BJP Gujrat: ગુજરાતમાં વધુ એક ભાજપનો લેટર કાંડ સામે આવ્યો છે. આ લેટરકાંડ અમરેલીથી નહીં પરંતુ તેના બાજીનો જિલ્લો એટલે કે ભાવનગરથી સામે આવ્યો છે. આ લેટર ભાવનગર જિલ્લાના સિહોર ભાજપનો વાયરલ થયો છે. જેમાં 40 કરોડનો ભષ્ટાચાર કરનાર ત્રણ પરિવારોથી સિહોરની બચાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લેટરમાં પાટીલ, રત્નાકરજીની વાત કરવામાં આવી છે. આ લેટર વાયરલ થતા ભાવનગરમાં હાહકાર મચી ગયો છે.

10 કાર્યકર્તા મળી પત્ર લખ્યો

સિહોર નગરમાં ત્રણ પરિવાર છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાને લૂંટવા જન્મા હોય તેવા ત્રણ પરિવારથી આખું નગર ત્રાહિમામ છે. પરંતુ ત્રણ પરિવાર માથાભારે અને ભા.જ.૫ ના બળ થી પાપ કરે છે. અને લોકો મૂંગા મોઢે સહન કરે છે. જોકે શિહોર નગરના લોકો પણ બિચારા માયકાંગલા થઈ ગયેલા છે, પણ ભા.જ.૫ ના આગેવાનોમાં થોડીક નિષ્ઠા, થોડીક પ્રમાણિકતા, થોડીક વિચારવાની શક્તિ, થોડીક સુજબૂજ, થોડીક હિંમત, થોડીક માખણ પટ્ટી ઓછી, કરીને નિર્ણય કરે તો પાપમાં ન પડે તેવું કરે તેવી અપેક્ષાથી 10 કાર્યકર્તા મળી આ પત્ર લખવાનું નક્કી કર્યું છે.

લેટરમાં શું ઉલ્લેખ કર્યો હતો?

ત્રણ પરિવારમાં નકુમ પરિવાર કારડીયા રાજપુત માનસંગભાઈ દાનસંગભાઈ નકુમ, બીજો પરિવાર મકવાણા પરિવાર તળપદા કોળી નટુભાઈ ઘનશ્યામભાઈ મકવાણા(રાધે પેંડા વાળા), ત્રીજો પરિવાર રાઠોડ પરિવાર ચતુરભાઈ જસમતભાઈ રાઠોડ, તળપદા કોળી આ ત્રણ પરિવાર છેલ્લા 30 વર્ષથી સતત નગરપાલિકાનું
સંચાલન કર્યું છે. આ ત્રણ પરિવારના સભ્યો જ પ્રમુખ હોય અથવા ઉપપ્રમુખ અથવા કારોબારી ચેરમેન હોય ત્રણ હોદ્દા માંથી એક પણ હોદ્દોમાં હોય એટલે નગરપાલિકાનું સંચાલન આ ત્રણ પરિવાર માંથી જ થતો હોય અને ભ્રષ્ટાચાર કરેલો હોય છે.જેમાં 40 કરોડની ગટર યોજના,30 કરોડ પીવાના પાણીની યોજના, રોજમદારની રોજની હાજરી આ તમામ ભ્રષ્ટાચારનું કારણ આ ત્રણ પરિવાર છે. નગરપાલિકા સરખી ચલાવવા ભાજપનો રીપીટ થીઅરી લાવ્યું હતું. પરંતુ આ નગર પાલિકામાં માનસંગને બદલે ધીરુ, નટુના બદલે ઉમેશ અને ચતુરના બદલે મહેશ આ લોકો વારાફરતી ચૂંટણી લડતા હતા.

 

 

 

 

 

 

Scroll to Top