U.S. deportation: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયોને લઈને એક અમેરિકન સૈન્ય વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાનું લશ્કરી વિમાન C-17 પંજાબ અને વિવિધ રાજ્યના Illegal immigrantsને લઈને આવ્યું હતું.જેમાં અમેરિકા (America) થી ભારતમાં મોકલવામાં આવેલા લોકોની સંખ્યા 104 છે.આ લોકોમાં 37 ગુજરાતીઓ હતા.જેને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા હતા.
75 લાખથી એક કરોડનો ખર્ચો કરી અમેરીકા જતા હોય છે
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા જાય છે. 75 લાખથી એક કરોડનો ખર્ચો કરીને, દેવા કરીને અને જમીનો વેચીને તથા વ્યાજે પૈસા લઈને પણ કેટલાક લોકો કામ ધંધા માટે અને રોજગાર મેળવવા માટે તથા સ્થાયી થવા માટે અમેરિકા (America) જતા હોય છે. બે લાખથી વધુ ગુજરાતીઓ છે અને સૌથી ૧૭ લાખ લોકો સમગ્ર દેશના છે. હાલ 65 થી 70 લાખ ભારતીય લોકો અમેરિકામાં વસવાટ કરે છે.
ચૈતર વસાવાએ ભાજપ પર આક્ષેપ કર્યા
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ કહ્યું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે, અમેરિકા (America) સાથેના સંબંધો અને ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે કે જે પણ ભારતીયો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. અમેરિકાની સરકાર સાથે મળીને અને વાટાઘાટો કરીને આ મુદ્દા પર કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે. આપણે વિશ્વ ગુરુ બનવાની વાતો કરીએ છીએ અને ગુજરાત મોડલની વાતો કરવામાં આવે છે ત્યારે ગુજરાત સહિત પુરા દેશમાં રોજગારીની એવી તકો ઉભી કરવામાં આવે જેના કારણે લોકોએ આ રીતે પોતાના પરિવારને છોડીને વિદેશમાં ન જવું પડે.