payal goti: અમરેલી નકલી લેટરકાંડ મામલે કર્યવાહી,અશોક માંગરોળીયા સસ્પેન્ડ

Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર (patidar) સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.જેમાં ગઈકાલે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ૩ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધ્યક્ષે ત્રણ અધિકારીને સ્સપેન્ડ કર્યા હતા. જ્યારે આજે વહેલી સવારે અમરેલી (amreli) ના DDO પરીમલ પંડ્યાએ આરોપી અશોક માંગરોળીયાને જસવંતગઢ ગામના સરપંચ તરીકે સસ્પેન્ડ કર્યા છે.

જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાને કર્યા સસ્પેન્ડ

અમરેલી (Amreli) ના નકલી લેટરકાંડ (letter Scandal) મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં નકલી લેટર કાંડના આરોપી અશોક માંગરોળીયા પર અમરેલીના DDOએ કાર્યવાહી કરી છે. DDO પરીમલ પંડ્યાએ અશોક માંગરોળીયાને જસવંત ગઢના સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અશોક માંગરોળીયા લેટરકાંડ મામલે સબજેલમાં હોવાથી DDOએ સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી થતા સમગ્ર પથંકમાં હાહકાર મચી ગયો છે.

અમરેલી કેસની તપાસ નિર્લિપ્ત રોયને સોપી

અમરેલી (Amreli) લેટરકાંડ (letter Scandal) અને સરઘસકાંડની તટસ્થ તપાસ થાય તે માટે IPS નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે.IPS નિર્લિપ્ત રાય આ પહેલા પણ અમરેલી જીલ્લાના SP રહી ચૂક્યા છે. સમગ્ર ઘટનાની તપાસ નિર્લિપ્ત રાય કરે તેવી નામ જોગ માંગણી પણ કરવામાં આવી હતી.હવે જ્યારે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જે પણ જવાબદાર અધિકારી અને સરઘસકાંડમાં સામેલ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવશે કે નહીં તે તો જોવાનું રહ્યું. આ ઉપરાંત નિર્લિપ્ત રાય પર આ હાઈવોલ્ટેજ ડ્રામાને શાંત કરવા મોટી કાર્યવાહી પણ કરી શકે છે.

Scroll to Top