Gujarat Education: સમગ્ર દુનિયાના બાળકોમાં સ્માર્ટ ફોનની લતથી પરેશાન છે. આ સ્માર્ટ ફોનના કારણે બાળકો (Children) માનસિક બીમારીનો ભંગ બની રહ્યા છે. ત્યારે હવે ભારતમાં પણ સ્માર્ટ ફોનને લઈને લોકોને અને સરકારને ચિંતા થવા લાગી છે. આની અસરના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. આ ચિંતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) એ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકો (Children) ને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભિર ચર્ચા કરી હતાબાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. બાળકો (Children) ના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.
શિક્ષકો માટે પરિપત્ર બહાર પાડવામાં આવશે
ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) એ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા બાળકોની શારીરિક અને માનસિક શક્તિને જોરદાર અસર કરી રહી છે. બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછુ કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. જેમા શિક્ષકો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુક્વામાં આવશે.પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં બેઠક યોજાઈ
ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) એ સાથે આ બેઠકમાં ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, ટેકનિકલ કમિશનર બંછાનિધિ પાની, નિયામક ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરૂ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર લલિત નારાયણ સંધુ, શાળાઓના નિયામક પ્રજેશ રાણા, નિયામક પ્રાથમિક શાળા એમ.આઈ.જોષી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ રાજેશ ગુપ્તા, સિવિલ હોસ્પિટલના સાયકાટ્રીસ્ટ કૌશલ બેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.