Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે પરેશ ધાનાણીએ અમરેલી (Amreli) માં ચર્ચાના ચોકમાં ભાજપ સરકાર સામે આંદોલન માડ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે જૈની ઠુમ્મર, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિત અનેક અગ્રણી હાજર રહ્યા હતા.આજે વહેલી સવારથી અમરેલી (Amreli) ના ચોરામાં 24 કલાકની ભૂખ હડતાલ પર ઉતરીયા છે. જેમા લલીત કગથરાએ જવાબદાર અધિકાર અધિકારી સામે યોગ્ય કર્યવાહીની માંગ કરી હતી.
શું કહ્યું લલિત કગથરાએ
લલીત કગથરા (Lalit Kagathara) એ અમરેલી (Amreli) ના ચોકમાં કહ્યું આ રાજકારણની વાત નથી.આ પટેલ કે અન્ય સમાજની વાત નથી.સમગ્ર ગુજરાતમાં રહેતી દિકરીઓને સ્વાભીમાનની અને ન્યાય અપાવાની વાત છે. દિકરીને રાત્રે 12 વાગ્યે ધરપકડ કરે અને સરઘસ કાંઢે તો કોની પાસે ન્યાય માંગવા જાવું. ગુજરાતની તમામ દિકરીને ન્યાય અપવા માટે સ્વાભીમાન માટે આંદોલન પર ઉતરીયા છે. જે રીતે અમરેલી (Amreli) ની પોલીસ ભાજપની એજન્ટ બની કામ કર્યું છે. એક માત્ર ધારાસભ્યના ઈશારે કામ કર્યું છે. એ પોલીસની સામે પગલા ભરાય તેવી માંગ કરી છે. દિકરીને ખુલા મોઢે સરઘસ કાઢવું તે હળાહળ અન્યાય છે.આ દિકરીને ન્યાય નહીં મળે ત્યા સુધી આ સ્વાભીમાન આંદોલન ચાલુ રહેશે.
અમરેલીના રાજકમલ ચોકમાં પ્રતાપ દુધાતને પટ્ટા મારો
પ્રતાપ દુધાતે કહ્યુ હતું કે સૌવપ્રથમ મુખ્યમંત્રીને અને સમાજના અગ્રણીને પત્ર લખી દિકરીને ન્યાય આપવા માંગ કરી હતી.આ રાજકારણની નહીં પરંતુ અબલા નારીની વાત છે. મારી એક જ માંગ છે કે, દીકરી સાથે જે અન્યાય થયો છે, તેની સાથે સરકાર ન્યાય કરે.સરકાર ઉથલાવાની વાત નથી. દિકરીને મારનારા, દિકરીનું સરઘસ કાઢનારા,દિકરીને રાત્રે 12 વાગ્યે ઘરથી ઘરપકડ કરનાર અધિકારીને કાયમી માટે સસ્પેન્ડ કરવામાં આવે.તેવી માંગને લઈ ધરણા પર બેઠા છીએ.નિર્દોષ દિકરીને ભોગ લેવાયો, નિર્દોષ દીકરી પર રાજકારણ કર્યું છે. અમરેલી (Amreli) ના મહાભારતમાં દ્રોપદિનું વસ્ત્ર હરણ થયું છે.જે રીતે દિકરીને પટ્ટા મારવામાં આવ્યા છે. તે રીતે અમરેલી (Amreli) ના રાજકમલ ચોકમાં પ્રતાપ દુધાતને પટ્ટા મારો, તથા મારૂ મેડિકલ રીપોર્ટ કરો.