Amreli News: પાટીદાર યુવતીના સરઘસ કાઢવા મુદ્દે ગોપાલ ઇટાલીયા આકરા પાણીએ, અમરેલી એસપીને પાઠવ્યું આવેદનપત્ર

Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli)માં ગઈકાલે ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. જમાં પાટીદાર (patidar) સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહી દીકરી જેલમાંથી કઈ રીતે જામીન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ મામલે હવે સાધુ સંતો પણ આ દિકરીને જામીન પર મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી. હવે આ બધાની વચ્ચે પાટીદાર યુવતીના બીજા વકીલ ગોપાલ ઇટાલિયા (gopal Italiya) અમરેલી એસ.પી.કચેરીએ પહોંચી સંજય ખેરાતને આવેદનપત્ર પાઠવ્યું હતું.

યુવતીની સરઘસ કાઢવા મુદ્દે ગોપાલ ઇટાલીયાએ કરી રજૂઆત

અમરેલીની પાટીદાર યુવતીના પત્રકાંડ મામલે યુવતીના બીજા વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા (gopal Italiya) અમરેલી એસ.પી.કચેરીએ પહોંચ્યા હતા. જેમા ઇટાલીયા મોટા સમર્થક સાથે એસ.પી.સંજય ખરાતને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઈટાલીયા (gopal Italiya) એ પાટીદાર પીડિતા યુવતીને સરઘસ કાઢવા મુદ્દે સંજય ખરાતને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરતા કહ્યું દોઢેક માસ પહેલા સાવરકુંડલા કોર્ટમાં આહીર યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યા તેમા ફરિયાદ નોધાય હતી. તે પ્રકરણમાં ભાજપના નેતાઓની ધરપકડ કેમ નથી થઈ. આ તમામ મુદ્દાને લઈ ગોપાલ ઇટાલીયા (gopal Italiya) અમરેલી એસ.પી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે.

સાંધુ સંતો આવ્યા મેદાને

પાટીદાર સમાજ અને અન્ય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સાધુ સંતો પણ દીકરીને વારે આવ્યા છે.ભાલકા તીર્થની બાજુમાં નિરાલી ખોડીયાર ઉદાસીન આશ્રમના મહંત તપસવી મહામ્ન્દ્લેશ્વર બજરંગદાસ ઉદાસીન બાપુએ અમરેલી લેટરકાંડને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે તેમણે રોષ વ્યક્ત કરતા તેમણે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પર મોટા આક્ષેપો લગાવ્યા છે. દારુ વેચાઈ રહ્યો છે, મડર થઈ રહ્યું છે, કૌભાંડી થાય છે. આવા લોકો પર કેમ કાર્યવાહી થતા નથી.હર્ષ સંઘવી નવ પાસ છો તને મોદીએ બેચાડી દિધો છે.તને પ્રજા લક્ષી કામ કરતા આવડતું નથી. ચોપડી વાંચતા આવડતું નથી કાયદા કાનુંન ખબર નથી. જો પોલીસ ખાતું ન સંભળાતુ હોય તો રાજીનામું આપી દો હર્ષ ભાઈ.

 

 

Scroll to Top