Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર (Patidar) સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli ) માં ખોડલધામ સમિતિની બેઠક મળી હતી.પાટીદાર (Patidar) સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારાની આગેવાનીમાં બેઠક થઈ હતી.આ બેઠકમાં વિવિધ અગ્રણીઓએ આ દિકરીને જેલ માંથી બહાર લાવવા માટે વિવિધ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા,ગોપાલ ઈટાળીયા (Gopal Italy), મનોજ પનારા, નરેશ પટેલ,કૌશિક વેકરીયા ,ભરત સુતરીયા સહિત અનેક પાટીદાર (Patidar) આગેવાન હાજર રહ્યા હતા.
ગોપાલ ઈટાલીયાએ વેધક સવાલ કર્યા
આ બેઠકમાં હાજર ગોપાલ ઈટાલીયા (Gopal Italy) એ વેધક સવાલ કરતા કહ્યું કે પાટીદાર સમાજની આંખમાં ધૂળ નાખવા અને દીકરીના નામે પાટીદારોને છેતરવા માટે ભાજપના લોકો દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી. દીકરીના નામે ભાજપ (BJP) દ્વારા મિટિંગમાં સરઘસકાંડ ઉપર પાણી ઢોળવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. તેમણે વેધક સવાલ કરતા કહ્યું તપાસ અધિકારી અને સરઘસમાં જોડાયેલ પોલીસ ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરવાના બદલે ભાજપ (BJP) ના નેતાઓ જામીન અંગે ચર્ચા કરીને પાટીદારોને ગુમરાહ કર્યા છે. દીકરીની આબરૂ જાય એ રીતે સરઘસ કાઢવાની પરમિશન આપનાર અમરેલીના SP વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
અમરેલીમાં ખોડલધામની બેઠકમાં દિકરીને જામીન મેળવવા ચર્ચા
અમરેલી (Amreli ) માં સમગ્ર પાટીદાર (Patidar) સમાજના આગેવાન આવ્યા છે. આ બેઠક પાટીદાર સમાજના અગ્રણી કરી રહ્યા છે. આ બેઢકનું સંચાલન નરેશ પટેલ કરી રહ્યા છે.હવે આ બેઠકમાં કૌશિક વેકરીયા અને ભરત સુતરીયા બેઠકમાં હાજર રહ્યા છે. આ બેઠકમાં દીકરીને જેલ માંથી આજે ને આજે દીકરી છુટે તે અંગે કામ કરવામાં આવશે. પાટીદાર (Patidar) સમાજની લીગલ ટીમ પોલીસને પણ રજૂઆત કરશે. ભાજપ (BJP) ,આપ અને કોગ્રેસ તમામ પાર્ટીના પાટીદાર નેતા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા,ગોપાલ ઈટાળીયા (Gopal Italy), મનોજ પનારા, નરેશ પટેલ,કૌશિક વેકરીયા ,ભરત સુતરીયા સહિત અનેક પાટીદાર આગેવાન હાજર રહ્યા હતા.