Delhi: અટલ બિહારી વાજપેયીનો આજે 100મી જન્મજયંતિ, પીએમ મોદીનો દેશને આપ્યો ભાવુક સંદેશો

Atal Bihari Vajpayee: ભારતના રાજકારણના ભીષ્મપિતામહ તરીકે ઓળખાતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ની આજે 100મી જન્મજયંતિ છે.દિલ્હી સ્થિત તેમની સમાધિ સદૈવ અટલ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ચાલુ થયો હતો. આ પ્રંસગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

વાજપેયીની આજે 100મી જન્મજયંતિ

અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) નો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અને તેમનું અવસાન 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષે થયું હતું.તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા.તેમને 2015માં ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો.અટલજી (Atal Bihari Vajpayee) ની યાદમાં 25મી ડિસેમ્બરના દિવસે સમગ્ર ભારતમાં સુશાસન દિવસ ઉજવાય છે.

અટલ બિહારી વાજપેયીએ હૉર્સ ટ્રેડિંગ નથી કર્યું – pm modi

પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ને યાદ કરીને એક લેખ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું- 25મી ડિસેમ્બરનો આ દિવસ ભારતીય રાજકારણ અને ભારતીય જનતા માટે સુશાસનનો મજબૂત દિવસ છે. તેઓ એક રાજનેતાની જેમ ઉભા રહ્યા અને લોકોને પ્રેરણા આપી. પીએમે આગળ લખ્યું, અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) એ હૉર્સ ટ્રેડિંગ નથી કર્યું. ગંદા રાજકારણના રસ્તે ચાલવાને બદલે 1996માં રાજીનામું આપવાનું પસંદ કર્યું હતુ. 1999માં તેમની સરકાર 1 વૉટથી પડી ગઇ હતી.

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું

અટલજી (Atal Bihari Vajpayee) નો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) દાયકાઓ સુધી ભાજપનો એક મોટો ચહેરો હતા અને પીએમ તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા. તેમણે 1977 થી 1979 સુધી વડાપ્રધાન મોરાજી દેસાઈની કેબિનેટમાં ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 16 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

Scroll to Top