Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) ગુરુવારે (26 ડિસેમ્બર, 2024) 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મંગળવારે (24 ડિસેમ્બર, 2024) એક નિવેદનમાં આ માહિતી આપી હતી.મંત્રાલય વીર બાલ દિવસ પર ભારતીય બાળકોની ક્ષમતાઓ અને સિદ્ધિઓને ઉજાગર કરતી દેશવ્યાપી પ્રવૃત્તિઓનું આયોજન કરશે અને વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કારોના વિજેતાઓને સન્માનિત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) આ વર્ષે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે.
17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે
આ એવોર્ડ સાત શ્રેણીઓમાં આપવામાં આવે છે. કલા અને સંસ્કૃતિ, બહાદૂરી, નવીનતા; વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા, રમતગમત અને પર્યાવરણમાં બાળકોની અસાધારણ સિદ્ધિઓને પ્રકાશિત કરે છે. આ વર્ષે જે 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં સાત છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે.દરેક વિજેતાને મેડલ અને પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર પુસ્તક આપવામાં આવશે.
નરેન્દ્ર મોદી સુપોષિત પંચાયત યોજનાનું ઉદ્ઘાટન કરશે
દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendr modi) સુપોષિત પંચાયત યોજનાનું ઉદ્ઘાટન કરશે. જેનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે પોષણ સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ ઇવેન્ટમાં વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા બાળકોની આગેવાની હેઠળ માર્ચ-પાસ્ટ પણ સામેલ હશે.કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી ઉદ્ઘાટનને સંબોધન કરશે. જે બાળકોના શિક્ષણ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા માટે મંચ તૈયાર કરશે. એવોર્ડ વિજેતાઓ સહિત લગભગ 3,500 બાળકો કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં ભારતના સમૃદ્ધ વારસાને દર્શાવતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દર્શાવવામાં આવશે.