INDVSAUS: શું ભારીય ટીમ 3-1થી સીરીઝ જીતે તો ફાઈનલમાં પહોંચી શકે?, જાણીલો સમીકરણ

INDVSAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા (INDVSAUS) વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ખૂબ જ રોમાંચક મોડ પર છે. અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે અને સિરીઝ 1-1થી બરાબર છે. આ શ્રેણી WTC ફાઈનલના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ શ્રેણી જીતશે તે ફાઈનલમાં પહોંચશે. આ કારણથી મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી રમાનારી ચોથી ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

WTC ફાઈનલના દૃષ્ટિકોણથી આ સિરીઝ મહત્વપૂર્ણ

વર્લ્ડ ચેમ્પિયનશિપનું પોઈન્ટ ટેબલ દરેક ટેસ્ટ મેચ સાથે બદલાઈ રહ્યું છે.ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે. ન્યુઝીલેન્ડે ઘરઆંગણે ભારતને હરાવીને મુશ્કેલી વધી ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો પણ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર નિર્ભર છે. ભારત ઓસ્ટ્રેલિયા (Australia) થી 3-1થી શ્રેણી જીતે છે તો WTC ફાઈનલનું શું સમીકરણ હશે.

બાકીની બે ટેસ્ટ કોઈપણ રીતે જીતવી પડશે

WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારતે હવે બાકીની બે ટેસ્ટ કોઈપણ રીતે જીતવી પડશે. આ બે મેચો જીતવી ભારતીય ટીમ માટે સરળ નથી. જોકે ગાબામાં ટેસ્ટ ડ્રો થયા બાદ લાગી રહ્યું છે કે નસીબ ટીમ ઈન્ડિયા સાથે છે. જો ભારત મેલબોર્ન અને સિડનીમાં આગામી બે ટેસ્ટ મેચ જીતે જાય તો 138 પોઈન્ટ સાથે મહત્તમ 60.52% સુધી પહોંચી શકે છે. જો આવું થાય ઓસ્ટ્રેલિયા (Australia) ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. અને ટીમ ઈન્ડિયાની ટિકિટ કન્ફર્મ થઈ જશે. ભારત સામેની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકામાં બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. તે બંને ટેસ્ટ જીત્યા પછી પણ, કાંગારૂ માત્ર 57% PCT સુધી પહોંચ્ચી શકે તેમ છે.

 

 

Scroll to Top