આ રાજ્યના પૂર્વ ડેપ્યુટી CM, શૌચાલય અને વાસણો સાફ કરશે

અકાલ તખ્તે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. બે મહિના પહેલા અકાલ તખ્તે તેમને તંખૈયા (ધાર્મિક બાબતોમાં અપરાધી) જાહેર કર્યા હતા. સજા સંભળાવતી વખતે અકાલ તખ્તના જથેદાર જ્ઞાની રઘબીર સિંહે બાદલને સુવર્ણ મંદિરમાં વાસણો અને શૌચાલય ધોવાની સજા મળી છે. આ ઉપરાંત તેમને પંચસિંહ સાહેબોના ઘરની બહાર સવારે એક કલાક સેવા આપવાની. આ ઉપરાત તેમણે દરરોજ ગુરુદ્વારામાં કીર્તન સાંભળવાની કડક સજા મળી છે.

સુવર્ણ મંદિરમાં વાસણો અને શૌચાલય ધોવાની સજા મળી

સુખબીર સિંહ બાદલ તેમના કેબિનેટ મંત્રીઓએ ખોટા રાજકીય નિર્ણયો લેવા માટે દોષી સાબિત થયા છે. ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને માફી આપવાનો પણ આરોપ છે. તેણે સુવર્ણ મંદિરમાં પંચ સિંહ સાહેબોની સામે પોતાની ભૂલ કબૂલ કરી. સુખબીર સિંહ બાદલે થોડા દિવસો પહેલા અકાલી દળના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સજાની ઘોષણા કરતાં જથેદાર ગિયાની રઘબીર સિંહે શિરોમણી અકાલી દળને ત્રણ દિવસમાં તેમનું રાજીનામું સ્વીકારવા અને આગામી છ મહિનામાં પાર્ટીના નવા પ્રમુખ માટે ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

ખોટા રાજકીય નિર્ણયો લેવા માટે દોષી સાબિત થયા

આ આખો મામલો 2007નો છે. જ્યારે ગુરમીત રામ રહીમે શીખ ગુરુ ગુરુ ગોવિંદ સિંહ જીની જેમ પોશાક પહેરીને લોકોને અમૃતનો સ્વાદ ચખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રામ રહીમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ અકાલી સરકારે રામ રહીમ સામેનો કેસ પાછો ખેંચી લીધો હતો. અકાલ તખ્તે રામ રહીમને માફ કરવા બદલ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને આપવામાં આવેલ ફકર-એ-કૌમનું બિરુદ પણ પાછું ખેંચી લીધું હતું.

બાદલને 2007 અને 2017 માં ખોટા રાજકીય નિર્ણયો લીધા બદલ સજા

અકાલ તખ્તે સ્વીકાર્યું કે અકાલી દળે 2007 અને 2017 વચ્ચે જ્યારે તે પંજાબ સરકારમાં હતો ત્યારે ખોટા રાજકીય નિર્ણયો લીધા હતા. શિરોમણી અકાલી દળ સાથે સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે અકાલ તખ્તના જથેદારે સુવર્ણ મંદિરમાં પાંચ સિંહ સાહેબોની બેઠક બોલાવી હતી. આ સુનાવણી દરમિયાન સુખબીર સિંહ બાદલને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો હતો.

Scroll to Top