વિક્રાંત મેસીએ એક્ટિંગમાંથી લીધો સંન્યાસ, ફેન્સ સ્તબ્ધ

વિક્રાંત મેસી બોલિવૂડના સૌથી ચર્ચીત રહેતા અભિનેતાઓ માને એક છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી અનેક પ્રકારના રોલ કર્યા છે અને લોકોના દિલમાં જગ્યા બનાવી છે. પરંતુ 1 ડિસેમ્બરે વિક્રાંત મેસીએ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી. એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય થયું. વિક્રાંતે આ મોટો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે પોતાની કારકિર્દીમાં સફળતાના શિખરે છે.

મેસીએ તમામ લોકોનો આભાર વ્યકત કર્યો

વિક્રાંતે પોતાની સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે, હેલો છેલ્લા કેટલાક વર્ષો અને તેના પછીના વર્ષો શાનદાર રહ્યા છે. તમારા નિરંતર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને ખ્યાલ આવે છે કે ઘરે પાછા જવાનો સમય છે. પતિ પિતા અને પુત્ર અને અભિનેતા તરીકે પણ. આગામી 2025 માં અમે છેલ્લી વાર એકબીજાને મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો હંમેશા રહેશે. તેમને તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

ચાહકો આશ્ચર્યમાં મૂકાય ગયા

વિક્રાંતની આ જાહેરાતથી ચાહકોને આશ્ચર્ય થયું છે. ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં અભિનેતાના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતા. એક યુઝરે લખ્યું કે તમે આવું કેમ કરશો? તમારા જેવો અભિનેતા ભાગ્યે જ કોઈ હશે. બીજા ચાહકે લખ્યું તમે શાનદાર કારકિર્દી પાછળ છોડી, ત્રીજા ચાહકે લખ્યું હું આશા રાખું છું કે તે સાચું નથી.

12th ફેલ સૌથી સફળ ફિલ્મ

વિક્રાંતના કામ વિશે વાત કરીએ તો ગયા વર્ષે જ તેને 12th ફેલમાં IPS મનોજ કુમાર શર્માની ભૂમિકા માટે ઘણી પ્રશંસા મળી હતી. તેની ઓગસ્ટમાં રિલીઝ થયેલી ફિર આયી હસીન દિલરૂબામાં તેણે રિશુનું પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં અભિનેતાનો ધ સાબરમતી રિપોર્ટમાં કામ કર્યું હતું. આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ તેની પ્રશંસા કરી છે.

 

 

Scroll to Top