– વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા
– સરદારધામ અને ખોડલધામના વિખવાદ વચ્ચે સૂચક નિવેદન
– શું રાદડિયાનો ઈશારો નરેશ પટેલ તરફ હતો?
– સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો: રાદડિયા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. રાદડિયા હુંકાર ભર્યો હતો. તેમને જોરદાર વિરોધી પર નિશાન સાધયું હતું. નામ લીધા વગર વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.
અવરોધ ઉભા કરવાનું બંધ કરો
પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ કહ્યું કે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યુ છે, પરંતુ હું તેમને કહી દઉ છું કે હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો. તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરીએ છીએ.કદાચ નેતૃત્વ કરતા હોઈએ તો અમારાથી એક બે ભૂલ પણ થતી હશે. કામ કરીએ છીએ એટલે થાય બીજાની જેમ બેઠા રહીએ તો અમારાથી પણ ભૂલ ન થાય.
અંતે મારે મેદાનમાં ઉતરવું પડશે: રાદડિયા
તેમણે વધુમાં કહ્યું કે જે લોકો સારુ કામ કરવાના પ્રયત્ન કરતા હોય તેમના અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો નહીં તો તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા આવડ્યું છે. પરિણામ આપતા આવડ્યું છે એમ વચ્ચે આવ્યા પછી મારે હિસાબ કરવા ન પડે મેદાનમાં મારે ન ઉતરવુ પડે તે જોજો. હું પણ રાજકીય માણસ છું, મારે મેદાનમાં ન ઉતરવું પડે તે જોજો.