ગોંદિયા કોહમારા સ્ટેટ હાઈવે પર ખજરી ગામ પાસે બાઇકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે શિવશાહી બસનો ભયાનક અકસ્માત થયો હતો. આ મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) બસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 29 નવેમ્બરે બપોરે 12:00 થી 12:30 વાગ્યાની વચ્ચે બની હતી.બસ પલટી જવાથી અહીં 9 લોકોના મોત થયા છે હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ પરિવહન પ્રશાસનને પીડિતોને તાત્કાલિક 10 લાખ રૂપિયાની સહાય આપવાનો આદેશ આપ્યો હતો.
મૃતકને 10 લાખ રૂપિયાની સહાય
ભંડારાથી સાકોલી લાખાણી થઈને ગોંદિયા તરફ જતી શિવશાહી બસની સામે અચાનક એક બાઇક આવી ગયું હતું. બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે પલટી જતા બસ પલટી ખાઇ ગઇ હતી. દુર્ઘટના સમયે બસમાં 35થી વધુ મુસાફરો હતા જેમાંથી નવના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. માહિતી મળતા એમ્બ્યુલન્સ વિભાગ અને પોલીસ વિભાગના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ મુસાફરોને બહાર કાઢીને ગોંદિયા જિલ્લા સરકારી KTS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બસને ઉપાડવા માટે ક્રેઈનની મદદથી બહાર કાઠવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
એમ્બ્યુલન્સ અને પોલીસ વિભાગના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા
આ ઘટના પર દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગોંદિયા જિલ્લાના રોડ અર્જુની પાસે એક શિવશાહી બસનો અકસ્માત થયો અને કેટલાક મુસાફરોના મોત થયા. હું મૃતકોને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ઘટનામાં ઘાયલ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની જરૂર પડે તો પણ તાત્કાલિક કરવા સૂચના આપવામાં આવી છે.ગોંદિયા કલેકટરને પણ કહ્યું છે કે જો જરૂરી હોય તો તેમને નાગપુર શિફ્ટ કરવાની વ્યવસ્થા કરો.