Gujarat Congress: અમદાવાદમાં કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી. તમામે તમામ કોંગ્રેસના નેતાઓ છે તે હાજર રહ્યા હતા. બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય Lalit Kagathara નું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે. પાટીદાર સમાજ થોડા ઘણા અંશે વિમુખ થયો હોવાનું લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાનું લેવા સક્ષમ એવું પણ પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું છે. બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા. પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ વાળવા માટે કાર્યક્રમો યોજીશું તેવું પણ લલિત કગતરાએ કહ્યું છે.
Gujarat Congress: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ માટે શું ચર્ચા?
