અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171માં 12 જૂને થયેલા વિમાન દુર્ઘટનાને આજે 9 દિવસ થયા છે. હજુ પણ કેટલાક લોકોના પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના DNA ટેસ્ટ કરી પરિવારને મૃતદેહ સોંપવા આવી રહ્યા છે. Aravalli જિલ્લાના યુવતી જયશ્રીબેન કે જેમના લગ્નને હજુ ત્રણ મહિના જ થયા હતા. અને તેમના પતિને મળવા લંડન જઈ રહ્યા હતા. તેવામાં આ ઘટનામાં જેમનું મૃત્યુ થયું તેમનો પાર્થિવદેહ વતન પહોંચતા આખું ગામ હીબકે ચડ્યું હતું.
આ પણ વાંચો – Ahmedabad Plane Crash: વિશ્વાસ કુમારની કહાની સાંભળી તમે ચોકી જશો
અરવલ્લી જિલ્લાના 3 વ્યક્તિઓ આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેમાંથી એક જયશ્રી પટેલનો મૃતદેહ સાથે DNA પરીક્ષણમાં મેચ થયા બાદ વહેલી સવારે Ahmedabad Civil Hospital થી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સુરક્ષા બંદોબસ્ત સાથે જ્યારે મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. શબવાહિનીમાં રાખેલા મૃતદેહ પર લોકોએ પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુ:ખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જયશ્રી પટેલના મૃતદેહને ખંભીસરથી તેની સાસરી ડુંગરવાડા લઈ જવામાં આવશે, જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવશે.