પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને Operation Sindoor વિશે માહિતી આપી હતી. વિદેશ સચિવ Vikram Misri એ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન PM Modi એ સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂર સંબંધિત કોઈપણ બાબતમાં વેપાર સંબંધિત કોઈ ચર્ચા થઈ નથી.
તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારતે ફક્ત પાકિસ્તાનના કહેવા પર જ યુદ્ધવિરામ કર્યો છે. ભારત ક્યારેય કોઈ તૃતીય પક્ષની મધ્યસ્થી સ્વીકારતું નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય એવું કરશે નહીં. ઉપરાંત, પીએમ મોદીએ એ પણ ભાર મૂક્યો કે હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી વોર તરીકે નહીં, પરંતુ યુદ્ધના સીધા કૃત્ય તરીકે જોશે. ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ એમ પણ કહ્યું કે પીએમ મોદીએ Donald Trump ને સ્પષ્ટપણે કહ્યું હતું કે 22 એપ્રિલ પછી, ભારતે આખી દુનિયાને આતંકવાદ સામે કાર્યવાહી કરવાના તેના દૃઢ નિર્ધાર વિશે જણાવ્યું હતું. 6-7 મેની રાત્રે, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતની કાર્યવાહી ખૂબ જ માપેલી, સચોટ અને બિન-ઉત્તેજક હતી. આ સાથે, ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે અમે પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળાથી આપીશું.
આ પણ વાંચો – G7 Summit: ઇઝરાયલને સમર્થન, ઈરાન ‘પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો સ્ત્રોત’
POTUS @realDonaldTrump called PM @narendramodi.
🎥 Listen to Foreign Secretary Vikram Misri’s statement on the telephone conversation. pic.twitter.com/7TcZHDzXDd
— Randhir Jaiswal (@MEAIndia) June 18, 2025
વિદેશ સચિવે જણાવ્યું હતું કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ સમગ્ર ઘટના દરમિયાન, અમેરિકા દ્વારા ભારત-અમેરિકા વેપાર કરાર અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી જેવા મુદ્દાઓ પર કોઈ પણ સ્તરે ચર્ચા કરવામાં આવી નથી. લશ્કરી કાર્યવાહી રોકવા અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે બંને સેનાઓના હાલના માધ્યમો દ્વારા સીધી ચર્ચા કરવામાં આવી હતી અને તે પાકિસ્તાનની વિનંતી પર કરવામાં આવી હતી.