Ahmedabad Air India Crash :- અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના બાદ બધે અફડાતફડી મચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવામાં વ્યસ્ત છે. આ અકસ્માત એટલો મોટો હતો કે એર ઇન્ડિયાનું વિમાન આગનો ગોળો બની ગયું. આ વિમાનમાં 242 મુસાફરો હતા. અત્યાર સુધીમાં 133 મુસાફરોના મોત થયા છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. વિમાનનો પાછળનો ભાગ કોઈ વસ્તુ સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો. વિમાનમાં ભીષણ આગ લાગી છે. બધું ધુમાડામાં ફેરવાઈ ગયું છે. આ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે.
હકીકતમાં, 242 મુસાફરો સાથે લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ અકસ્માત અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર નજીક થયો હતો. વિમાન ટેક-ઓફ દરમિયાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના પછી તરત જ ઘટનાસ્થળેથી આકાશમાં કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો. આ વિમાન દુર્ઘટનામાં ભારે નુકસાન થવાની આશંકા છે. આ એર ઇન્ડિયાની બોઇંગ 737 પેસેન્જર ફ્લાઇટ હતી. આ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહી હતી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ પેસેન્જર પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 મુસાફરો હતા. વિમાન દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 133 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. , આ વિસ્તાર સિવિલ હોસ્પિટલની નજીક છે. રાજ્ય પોલીસ કંટ્રોલ રૂમે અકસ્માતની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા વિનંતી કરી છે.
https://x.com/mpparimal/status/1933116657444266037
અમદાવાદ પ્લેન દુર્ઘટનાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટનામાં પૂર્વ CMના નિધનના સમાચાર આવ્યા છે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી છે. પરિમલ નથવાણીએ ટ્વીટ પર માહિતી આપી છે. જો કે, થોડીવારમાં આ ટ્વિવીટ ડીલીટ કરી છે. જય રૂપાણી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા, અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ભારે વિનાશ સર્જાયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 133 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 133 મૃતદેહ મળી આવ્યા છે. ખુદ હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, મૃત્યુઆંક વધુ વધી શકે છે.
જો કે, આ દુર્ઘટનામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે આ ઘટનામાં સવાર કોઈ યાત્રીઓ બચ્યા નથી.