Visavadar : શું અહીંથી ગોપાલ ઈટાલિયાની હારની શરૂઆત ?

Visavadar : વિસાવદરની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિસાવદર પહોંચ્યા હતા. વિસાવદર ખાતે હર્ષ સંઘવીએ મોટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં  સાધુ, સંતો અને મહંતોની બેઠક યોજાઈ હતી.

શેરનાથ બાપુ અને મુક્તાનંદ બાપુ (ચાપરડા) જેવા લોકપ્રિય સાધુઓએ હાજરી આપી અને આ સિવાય સત્તાધાર મંદિરના મહંત વિજય વિજય ભગત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ હાજર રહ્યા અને આ સિવાય કૌશિક વેકરીયા અને ધવલ દવે સહિતના મહત્વપૂર્ણ નેતાઓએ પણ હાજરી આપી. આ કારણોસર બેઠક અત્યંત મહત્વપુર્ણ  રહી છે.

આ બેઠક માત્ર ધાર્મિક નહીં પણ રાજકીય સંકેતો માટે પણ નોંધપાત્ર રહી. વિસાવદરની ચૂંટણી સમીકરણોમાં આ પ્રકારની ધર્મસંસ્થાઓની હાજરી અને આશીર્વાદ સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ વિસાવદરના જંગમાં કોઈ કચાશ છોડવા તૈયાર નથી.

Scroll to Top